Search This Website

Thursday 29 September 2022

ખાલી 30 જ મિનિટમાં તમારા પેટનો વર્ષો જૂનો કચરો કરો સાફ ને સાથે જાણો કબજિયાતનું વિજ્ઞાન.

ખાલી 30 જ મિનિટમાં તમારા પેટનો વર્ષો જૂનો કચરો કરો સાફ ને સાથે જાણો કબજિયાતનું વિજ્ઞાન.


મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે. મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પેટ સભા તો હર રોગ દફા. જો મિત્રો પેટ સાફ ન થાય અને આંતરડામાં કચરો ભરાયેલો રહે તો પાછલી જિંદગીમાં ખૂબ જ મોટી પરેશાની નો સામનો કરવો પડે છે તો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત કેટલાક ઉપચાર જણાવવાના છે.



મિત્રો આયુર્વેદ ત્રણ સિદ્ધાંતો પર ચાલે છે એક વાત, પીત અને કફ. મિત્રો જ્યારે આપણા શરીરમાં વાત પિત્ત અને કફ નું અસંતુલન થાય છે. ત્યારે કોઈ ને કોઈ રોગ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. મિત્રો કબજિયાતની બીમારી 90% વાયુ પ્રકોપથી થતો હોય છે.

આયુર્વેદ કહે છે કે કફ નું સ્થાન મોઢામાં છે અને પિત નુ સ્થાન આપણી હોજરીમાં છે. મિત્રો જ્યારે જ્યારે વાયુ પોતાના સ્થાન પર થી ચલિત થઈ અને કુપિત થાય ત્યારે મોટા આંતરડાના પાણીને કુપિત થયેલો વાયુ આ પાણી ને સુકવી નાખે છે. અને આપણે મળ પથ્થર જેવો કઠણ થઈ જાય છે.

આના લીધે આપણું પેટ રોજેરોજ સાફ થતું નથી. અને આના લીધે અનેક પ્રકારની બીમારીઓ પણ થતી હોય છે. અને આ કારણથી જ હાલના સમયમાં મોટાભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાય છે. મિત્રો વર્ષોથી આપણા આંતરડાંમાં રહેલા કચરો જો સાફ ન થાય તો આપણે કબજિયાત જેવી મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

અને મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે મિત્રો આ ભાગદોડવાળી જિંદગીમાં અને પૌષ્ટિક આહાર ની કમીના કારણે કબજિયાત ઘણા લોકોને જોવા મળે છે મિત્રો આજના આ લેખમાં અમે તમને એક ઉપાય બતાવીશું જે ઉપાય કરવાથી ફક્ત ૩૦ મીનીટ માં વર્ષો જૂનો કચરો આંતરડામાં જમા થયેલ હશે તે દૂર થઈ જશે.



આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમે એક ગ્લાસ જેટલું મલાઈ કાઢી ને ગરમ કરેલું દૂધ લેવાનું છે. ત્યારબાદ એરંડીયા તેલ ની એક ચમચી આ ગરમ કરેલા દૂધમાં નાખવાની છે. મિત્રો આપને જાણીને નવાઈ લાગશે પરંતુ ચરક ઋષિ એ એરંડીયા તેલ ને આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપ્યું છે અને 80 થી પ્રકારના વાયુથી થતા રોગો આ તેલથી દૂર થાય છે.

એટલા માટે મિત્રો એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી એરંડિયું તેલ ઉમેરીને સવારે નરણા કોઠે તેનું સેવન કરવાનું છે. મિત્રો આ ઉપાયની અસર તમને ફક્ત ૩૦ મીનીટ માં જોવા મળશે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા આંતરડામાં ચોટેલો બધો જ કચરો જુલાબ દ્વારા બહાર નીકળી જશે.

પરંતુ મિત્રો આ ઉપાય તમારે અઠવાડિયામાં ફક્ત એક જ વાર કરવાનો છે. મિત્રો ત્યાર બાદ તમારે એક બીજો ઉપાય કરવાનો છે . આ ઉપાય કરવા માટે તમારે બજાર માંથી ત્રિફળાનું ચૂર્ણ લાવવાનું છે. ત્યારબાદ એક ગ્લાસ પાણી ગરમ કરીને અડધું પાણી રહે ત્યારે તેને ગરણી થી ગરી લેવાનું છે,

ત્યાર બાદ આ પાણી મા ત્રિફળા નું ચૂર્ણ અને એરંડિયા નું તેલ ઉમેરીને સવારે તેનું સેવન કરવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા આંતરડામાં ચોટેલો બધો જ કચરો દૂર થશે અને કબજિયાત ની બિમારી મા ખુબ જ ફાયદો થશે. અને પેટની સમસ્યા માથી ખુબ જ રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો  સૌથી નીચેનું Follow બટન દબાવીને અમારા બ્લોગને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.