Pages

Search This Website

Thursday 29 September 2022

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.

દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ જરૂરથી થતો હોય છે, હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ હોવાથી આપણે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીને દૂર કરી શકીએ છીએ અને જો પગમાં અંદરનો માર વાગી ગયો હોય તો તેનો લેપ લગાવીને પણ તે બીમારીને દૂર કરી શકીએ છીએ.


હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે કોઈપણ દુખાવાને આસાનીથી દૂર કરી શકે છે અને તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્ન જેવા તત્વો જોવા મળે છે. તેમાં એન્ટી ઈમ્પ્લેમેન્ટરી ગુણ હોવાના કારણે તે પાચન ક્રિયાથી લઈને ત્વચાની દરેક તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે. પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરશો તો તમને તેના ઘણા બધા લાભ જોવા મળશે.

કઈ રીતે અને ક્યારે નાભીમાં હળદર લગાવવી જોઈએ : તમે રાત્રે અથવા તો દિવસમાં બેથી ત્રણ કલાક સંપૂર્ણ આરામ કરવાના હોવ તેવા સમયે તમારે નાભીમાં હળદર લગાવી જોઈએ. કારણ કે બે થી ત્રણ કલાક સુધી નાભી દ્વારા આ જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તમને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે.

નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં તમે નારિયેળનું તેલ, સરસવનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો. કારણ કે આમ કરવાથી હળદરના ગુણ વધુ કાયદાકારક થઈ જાય છે. અને તેની સાથે જ પેટની કોઈ પણ સમસ્યા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમને વધુ પેટમાં દુખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ કરી શકો છો. ચાલો જાણીએ નાભિમાં હળદર લગાવાના ફાયદા વિષે.

શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરે : આજકાલ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી અને ખાંસીની તકલીફ થઈ જાય છે. ત્યારબાદ તેમને વાયરલ તાવ પણ આવી જાય છે અને તેઓ ઇન્ફેક્શનના ભોગ બની જાય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે, અને તે આ પ્રકારની દરેક બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવાનું ખૂબ જ સારું કાર્ય કરે છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવનું તેલ તથા હળદર મિક્સ કરીને નાભી ઉપર લગાવવાથી ઇન્ફેક્શનની બીમારી દૂર થાય છે અને શરદી તથા ખાંસીમાં પણ રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે : હળદરમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે કારણ કે હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે. તેથી આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સુઈ જવું જોઈએ. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ પરંતુ તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

પાચનતંત્ર માટે ખૂબ જ મદદરૂપ : આપણે કંઈ પણ ભોજન કરીએ છીએ તે આપણા શરીરમાં પચવું ખૂબ જ જરૂરી છે અને જો તે ભોજન પચતું નથી તો પાચનતંત્રની તકલીફ ઊભી થાય છે. પાચનતંત્રની તકલીફ ઉભી થવાના કારણે બીજી ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે આમ હળદર ખૂબ જ સારો ઉપાય છે. હળદરમાં ફાઈબર ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, અને ભોજન પચાવવા માટે ફાઇબરનો ખૂબ જ મહત્વનું છે. તેથી નાભીની ઉપર હળદર મૂકીને થોડો સમય આરામ કરવાથી પેટમાં દુખાવો તથા શરીરમાં જોવા મળતી ઘણી બધી તકલીફ દૂર થઈ જાય છે.

પિરિયડ્સ ના દુખાવામાં આરામ આપે : જ્યારે કોઈપણ મહિલા પિરિયડમાં થાય છે ત્યારે તેમને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણનો અનુભવ થાય છે, અને અત્યંત દુખાવો થતો હોય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો પિરિયડ્સ ના દુખાવામાં આરામ મળી શકે છે.

પેટમાં સોજાને અથવા કંઈક વાગ્યું હોય તો આરામ આપે : ઘણી વખત આપણને જમ્યા પછી ખૂબ જ પેટમાં દુખતું હોય છે અને તેના કારણે જ અપચો અને કબજિયાતની સમસ્યા પણ ઊભી થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને તમે નાભી ઉપર લગાવી શકો છો. આમ કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે અને ત્યારબાદ જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો ઘા પડી ગયો હોય તો તમે તેની ઉપર હળદરનો લેપ લગાવીને તેમાં આરામ મેળવી શકો છો.

આમ, નાભિમાં હળદર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી..

For Best View Please Open This Website In CHROME / OPERA Browser