Pages

Search This Website

Thursday 29 September 2022

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો ક્યારેય નહીં આવે આંખમાં નંબર, હશે તો પણ ઉતરી જશે.

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો ક્યારેય નહીં આવે આંખમાં નંબર, હશે તો પણ ઉતરી જશે.



મિત્રો આંખ આપણા શરીરનું રતન છે. આંખનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આંખમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો જીવન અંધકારમય બની.

આજે આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ તો તેનું કારણ આંખ છે જો આંખ ન હોય અથવા તો નબળી હોય તો વ્યક્તિને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.

પરંતુ આજના સમયમાં જે રીતે ટેકનોલોજી ની વસ્તુઓ નો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે લોકોને આંખ નબળી પડતી જાય છે. આધુનિક ઉપકરણોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી આંખમાં નંબર ઝડપથી આવી જાય છે.

અનેક લોકો એવા હોય છે જેમને કલાકો સુધી કોમ્પ્યુટર કે લેપટોપ પર બેસીને કામ કરવાનું હોય છે. આ સિવાય કેટલાક લોકો મોબાઇલ પર વધારે સમય પસાર કરતા હોય છે.

આ બંને સ્થિતિમાં આંખની ખૂબ જ તકલીફ પડે છે અને ધીરે ધીરે આંખ નબળી પડવા લાગે છે. આજે તમને એવા કેટલાક અસરકારક ઉપાયો જણાવીએ જેને કરવાથી તમે આંખમાં નંબર આવવાની તકલીફ દૂર કરી શકો છો.

મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર જેવા ઉપકરણોમાંથી ખાસ પ્રકારના કિરણો નીકળે છે જે આંખને ગંભીર નુકસાન કરે છે. તેવામાં જો તમે અહીં દર્શાવેલા ઉપાયોની મદદ લેશો તો વધતી ઉંમરે પણ આંખ નબળી નહીં પડે અને તમને નંબર પણ નહીં આવે.

આંખની નબળાઈ દૂર કરવા માટેના આ ઉપાય એકદમ અસરકારક છે. જોકે આંખના નંબર માટે જ નહીં પરંતુ આંખની અન્ય કેટલીક સમસ્યાઓમાં પણ આ ઉપાયો અજમાવી શકાય છે જેમકે આંખમાં દુખાવો થવો, આંખમાં બળતરા થવી, આંખમાંથી પાણી પડવું વગેરે.

ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે જાગે એટલી એની આંખ સોજેલી જ હોય છે અથવા તો એકદમ લાલ હોય છે. આંખને લગતી આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરી શકાય છે.

તેના માટે એક ચૂર્ણ ઘરે બનાવી આ ચૂર્ણ બનાવવા માટે 50 ગ્રામ બદામ, 50 ગ્રામ વરીયાળી અને 50 ગ્રામ સાકર લઈને બરાબર વાટી લેવી. હવે આ ચૂર્ણની એક ચમચી એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં ઉમેરી દેવું.

આ રીતે રોજ સવારે અને સાંજે એક એક ગ્લાસ દૂધ પી લેવું. સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સુતા પહેલા આ દૂધ પીવાથી લાભ થાય છે. જો તમે નિયમિત રીતે આ દૂધ પીઓ છો તો આંખની સમસ્યાઓ સતાવતી નથી. તેનાથી આંખની દ્રષ્ટિની ક્ષમતા મજબૂત થાય છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser