Search This Website

Tuesday 21 March 2023

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યા OPD થી લઈને લાખો રુપિયાના ઓપરેશન થાય છે બિલકુલ ફ્રી માં

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યા OPD થી લઈને લાખો રુપિયાના ઓપરેશન થાય છે બિલકુલ ફ્રી માં


ઘણી વખત આર્થિક તંગીને કારણે મોટા મોટો રોગોમાં પણ આપણે કઈ કરી શકતા નથી. અને લોકો માનસિક રીતે ભાંગી પડે છે. આપણા દેશમાં એવી ઘણીબધી સંસ્થાઓ ચાલે છે કે, જેમાં ગરીબોને મફત સારવાર આપવામાં આવે છે. જે લોકોને આર્થિક તંગી હોય તે લોકોને સાવ મફત આપવામાં આવે છે, પણ તમને એવી હોસ્પિટલ વિશે જણાવવાના છીએ કે જેમાં સાવ દરેક વસ્તુ સારી ફ્રીમાં આપવામાં આવે છે.

Swami Shri Nirdoshanand Manavseva Hospitals

આજે અમે તમને ગુજરાતને એક એવો હોસ્પિટલ વિશે જણાવવાના છીએ કે, જેમાં આવનારા દરેક દર્દીની દરેકે દરેક સારવાર વિનામૂલ્યે થાય છે. કોઈ પણ ગંભીર બિમારી હોય તો પણ કોઈપણ ફી લેવામાં આવતી નથી. નાના ઓપરેશનથી લઈને મોટા મોટા ઓપરેશન પણ ફી લીધા વિના જ કરી આપવામાં આવે છે.





આ હોસ્પિટલનું નામ છે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ માં આવેલી છે. જે અમદાવાદ અમરેલી હાઈવેને અડીને જ છે. નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દર્દીઓને તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને કોઈપણ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.


આ ઉપરાંત તે દર્દીઓનું ભોજન તેના સગા વ્હાલાને ભોજનની પણ સગવડ આપવામાં આવે છે. જે દરેક સુવિધાઓ સાવ મફત હોય છે. એવું કહેવામાં આવે છે કે સ્વામી નિર્દોષાનંદજી નિશુલ્ક સારવાર માટે એક હોસ્પિટલ બનાવવા માટેનું એક સ્વપ્નું ધરાવતા હતા. અને તેમના શિષ્ય મનુબેન ને હોસ્પિટલ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. ત્યારથી જ હોસ્પિટલનું નિર્માણ શરૂ થયું હતું.